
તા. 25 જુલાઈના રોજ યોજાશે 200મો ફ્રી કેન્સર નિદાન કેમ્પ
ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે 200મો કેન્સર નિદાન કેમ્પ તા. 25-07-2026 ને શનિવારના રોજ એક દિવસ માટે યોજાશે. જેમાં સવારે 9:00 થી 12:00 અને સાંજે 4:00 થી 7:00 વાગ્યા દરમિયાન મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ડિસ્પેન્સરીના મેનેજર મયૂરભાઈ વોરા (મો. 95370 99219) પાસે અગાઉથી નામ નોંધાવી જવાનું રહેશે તેમજ તપાસ માટે આવતી વખતે જૂના કેશ પેપર્સ સાથે લાવવાના રહેશે. આ કેમ્પ દુર્ગાશંકર છબીલદાસ મહેતા પરિવાર (મોરબી-રાજકોટ) તથા સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ. ઉમિયાશંકર દયાળજીભાઈ દોશી અને સ્વ. સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર (મોરબી)ના આર્થિક સહયોગથી યોજાઈ રહ્યો છે.

