મોરબી માં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં 15000 ચોપડા વિતરણ નું વિતરણ કરાયું
(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મોરબી નાં નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા શ્રદ્ધા ના પ્રતીક શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોરબી ની વિવિધ સરકારી શાળામાં વિના મૂલ્યે 15000, ફુલ સ્કેપ ચોપડા નું વિતરણ કરાયું હતું
જેમાં એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ની તમામ વિધાર્થી બાળાઓને શાળા સંચાલકો ની ઉપસ્થિતિ માં વિતરણ કરાયું તેમજ વી સી હાઈસ્કૂલ, ને એન જી મહેતા હાઈસ્કૂલ, સહિત મોરબી શહેર ને તાલુકાની સરકારી શાળાઓમાં મંદિર ના સેવાભાવી ટ્રસ્ટી એ દ્વારા વિતરણ કરવામાં આવીયુ હતું
શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર એ ભક્તો દ્વારા આવતી તમામ આવક સેવાકીય પ્રવૃત્તિ માં વાપરવામાં આવે છે જેમાં મંદિર માં ચાલતુ સાર્વજનીક દવાખાનામાં ગાયો ના ઘાસચારા માં .ગરીબ દિકરીઓ ના સમુહલગ્ન માં .નવરાત્રી મહોત્સવ નું આયોજન વિગેરે આવી અનેક સેવાકીય પ્રવૃતિઓ માં વાપરવામાં આવે છે


