વીરપર તા ૧૭ સાંસદ રાજ્યસભા માન. શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબની ગ્રાન્ટમાંથી વીરપર મચ્છુ ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ (કેસરભવન) ના ખાત મુર્હૂતનો કાર્યક્રમ આજે યોજાયો હતો.
આ પ્રસંગે ગ્રામજનોની હાજરી વચ્ચે વિધિવત રીતે ખાત મુર્હૂત કરવામાં આવ્યું. ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનનાર આ કોમ્યુનિટી હોલથી વીરપર મચ્છુ ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો તથા માન્ય નાગરિકોએ માન. સાંસદશ્રી પ્રત્યે આ વિકાસાત્મક ગ્રાન્ટ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કેસરભવન ગામના સર્વાંગી વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

