
શ્રી રામ ચરિત માનસ મંડળ ડીસાના નિષ્ઠાવાન સેવક શંભુભાઈ ગીરધરલાલ ઠક્કરનું થયેલ અવસાન
ડીસા નગરમાં શ્રી રામ ચરિત માનસ મંડળની સ્થાપનાના પાયાના નિષ્ઠાવાન સેવક શંભુભાઈ ગીરધરલાલ ઠક્કરનું અમદાવાદ ખાતે ટૂંકી બિમારી બાદ દુઃખદ અવસાન થતાં ડીસાના સમગ્ર લોહાણા સમાજમાં ઉંડા આઘાતની લાગણી પ્રસરી છે.
શ્રી રામ ચરિત માનસ મંડળ ડીસા તેમજ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સૌ સમર્પિત સેવકોએ શંભુભાઈ ઠક્કરના અવસાનથી આઘાતની લાગણી વ્યક્ત કરી છે.
બેઉ સંસ્થાઓના સર્વ ભગવાનભાઈ બંધુ, આત્મારામભાઈ ઓઢાવાળા, કનુભાઈ તૃપ્તિવાળા, નવીનભાઈ પ્રજાપતિ, નટુભાઇ લીબાચીયા, આનંદભાઈ પી ઠક્કર, ગીરીશભાઈ મોદી, સંજયભાઈ બારોટ, હરેશભાઈ દવે, તારાચંદભાઇ મજેઠીયા, મનુભાઈ રતાણી,કમલેશભાઈ રાચ્છ, કલ્પેશભાઈ -લાલાભાઈ, દીલીપભાઇ રતાણી , વિનોદભાઈ આચાર્ય , શૈલેષભાઈ રાચ્છ, દેવચંદભાઈ પૂજારા,સુભાષભાઈ ઠક્કર,ડો.જગદીશભાઈ ઠક્કર, સતીષભાઈ પટેલ સહિત સૌએ આદરણીય શંભુભાઈ ગીરધરલાલ ઠક્કરને શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના આત્માને ચિરશાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
