
હડીયાણા:તા ૬(*શરદ રાવલ હરિયાણા દ્વારા*) હડીયાણા ગામે કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતા.ઇસ્લામ ધર્મના અંતિમ પયગબર હજરત મોહંમદ દોહિત્ર હજરત ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓએ સત્યને કાજે કરબલાના મેદાનમાં
વહોરેલી શહાદતમાં સમગ્ર વિશ્વમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે દર વર્ષે હડીયાણા ગામે મુસ્લીમ ધર્મગુરુઓ અને સમાજના અગ્રણીઓ સહિત અન્ય મહેમાનો સાથે મળીને દરરોજ રાત્રી દરમિયાન દસ દિવસ સુધી આમ ન્યાજ મજલીસ શબિલ રાખી ઇમામ હુસેનની શહાદતની યાદ કરે છે. હડીયાણા ગામે કલાત્મક તાજિયાએ ગય કાલે સાંજે પડમાં આવ્યા હતા.આજે અસુરાના દિવસે તેમના પડ માં રહેશે.અને બપોરના સમયે ગામમાં રૂટ પરથી પસાર થતા હોય છે.અને જે લોકો ની માનતાઓ પૂરી કરવા માટે જાય છે.અને શાંતિ પૂર્ણ આખો દિવસ પસાર થઈ જાય છે.અને સાંજના સમયે પરત પોતાની જગ્યાએ ફરે છે. અને મુસ્લિમ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાના પર્વની ઉજવણી કરવામાં આવે છે…..



