
વંથલી
અનેકવિધ સામાજીક પ્રવૃત્તિઓ થકી સમગ્ર સોરઠ પંથકમાં જાણીતા બનેલા જુનાગઢ જિલ્લાના યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ નો આવતી કાલે જન્મ દિવસ છે,24-03-1981 નાં રોજ વંથલી મુકામે જન્મેલા ઈરફાન શાહ બાપુ ને સામાજિક સેવાઓ નો શોખ બચપણથી જ રહ્યો છે કારણ કે તેમના પિતાશ્રી મર્હુમ હબીબ શાહ બાપુ પણ અગ્રીમ હરોળ નાં લોકસેવક હતા,વડ એવા ટેટા અને બાપ એવા બેટા કહેવત ને સાર્થક કરતા ઈરફાન શાહે વારસા માં મળેલી સેવાકીય પ્રવૃત્તિ જાળવી રાખી પોતાના મર્હુમ પિતાશ્રી નાં પગલે સામાજીક પ્રવૃત્તિઓ માં રચ્યા પચ્યા રહ્યા
સૌરાષ્ટ્ર કચ્છ ફકીર દિવાન સમાજ ના પ્રમુખ પદે, અલ્પ સંખ્યક અધિકાર મંચ ના જુનાગઢ જિલ્લાના પ્રમુખ પદે, પી.જી.વી.સી.એલ કોન્ટ્રાક્ટર યુનિયન અને લોક જાગૃતિ મંચ નાં જિલ્લા પ્રમુખ પદે અને વંથલી સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખ તરીકે કાર્યરત ઈરફાન શાહે તાજેતરમાં ગુજરાત સરકારના નાં ગાંધીનગર સ્થિત વકફ બોર્ડ માં ચાલતી લાલીયાવાડી ને નીડરતા પુર્વક ઉજાગર કરી રાજ્ય ની ધાર્મિક સંસ્થાઓ નાં હિત મા જબરદસ્ત મુહિમ ચલાવી હતી,ગુજરાત ના સુપ્રસિદ્ધ સુફી સંત પીર શિરાઝી શાહ દરગાહ નો તાજેતરમાં યોજાયેલા ઉર્ષ ના સફળતાપૂર્વક આયોજન માં તેમનો શિંહ ફાળો અને મુખ્ય ભુમિકા રહી હતી, ગરીબો,પીડિતો,શોષીતો,વંચિતો,વિધવા અને ત્યકતા મહિલાઓ, વૃદ્ધ વડીલો અને અત્યાચાર અન્યાય નો ભોગ બનેલા લોકો માટે નીડરતા પુર્વક સરકારશ્રી માં અવાઝ ઉઠાવે છે,જાણીતા સામાજીક કાર્યકર ઈરફાન શાહ નાં જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9898174791 / 9824623786 ઉપર અભિનંદન નો ધોધમાર વ્હાલ વરસી રહ્યો છે
