
શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા બદલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 11000 ની ગૌસેવા અર્પણ કરતા ડીસાના યુવાનો
તાજેતરમાં ડીસાના 10 જેટલા યુવાનોએ ખૂબ જ કઠિન એવી શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા કરી હતી.આ યાત્રામાં મહેન્દ્રભાઈ રતિલાલ ઠક્કર, મેહુલકુમાર આર.ઠકકર, યોગેશભાઈ બી.ઠકકર,જોધારામ બી.જોષી, નરેશભાઈ એમ.પુરોહિત, જયેશભાઈ એસ.પુરોહિત, મહેશભાઈ કે.પુરોહિત, મહેન્દ્રભાઈ એ.પુરોહિત, વિનોદભાઈ એચ.પુરોહિત, જયેશભાઈ બી.શ્રીમાળી સહિતના ખૂબ જ ઉત્સાહી, હોંશીલા અને નીડર યુવાનો જોડાયા હતા.
સ્વખર્ચે આ યાત્રામાં સામૂહિક રીતે જોડાયેલા યુવાનોએ યાત્રાના અંતિમ દિવસે હિસાબ કરતાં બચેલી 11000 અગીયાર હજારની રકમ ગૌસેવા હેતુ મહેન્દ્રભાઈ રતિલાલ ઠક્કરના માધ્યમથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને ગુરૂવારના ભજનમાં અર્પણ કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ સમગ્ર ટીમને વાજતેગાજતે અભિનંદન આપ્યા હતા.
ગૌસેવા કરવાનો પ્રેરણાદાયી નિર્ણય કરવા બદલ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના તમામ હરિભક્તોએ શ્રી અમરનાથ તીર્થધામ યાત્રા કરનાર યુવાનોને ખરા દિલથી અભિનંદન આપ્યા હતા.
