*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે થોડા સમય અગાઉ ધંધુકા મુકામે હત્યાનો બનાવ બનેલ છે જે બનાવ બાબતે અમુક આવારા તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતિ ડહોળવા અને કોમ- કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશિયલ મિડીયા ઉપર ઉશ્કેરણીજનક અને શાંતિ ભંગ કરતી પોસ્ટ મૂકી જાહેર શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવેલ છે જેથી તમામ એ નોંધ લેવી કે જો કોઈ વ્યક્તિ લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરશે અથવા કોઈપણ વ્યક્તિ મારફતે કરાવશે તો તેઓ વિરુદ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કોડીનાર ના જાંબાઝ પી આઇ ચુડાસમા સાહેબ દ્વારા જાહેર જનતા ને જણાવવામાં આવ્યું હતું સાઇબર ક્રાઈમ સેલ દ્વારા વોટ્સેપ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર અને સ્નેપસેટ જેવી તમામ સોશિયલ સાઇટ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે જેની તમામે નોંધ લેવી
