એ.આર.ટી.ઓ. ની તમામ કામગીરી નવી. કચેરી ખાતે કરવામાં આવશે, 13મીએ લોકાર્પણ પણ થઇ ગયું
મોરબી : આગામી સોમવારથી મોરબીના જાંબુડિયા ખાતે અદ્યતન નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત કરાશે અને કચેરીની સંપૂર્ણ કામગીરી હવેથી નવી કચેરી ખાતે કરવામાં આવશે.
નવનિર્મિત એ.આર.ટી.ઓ કચેરીનું ગત 13 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમીતભાઈ શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલ જાંબુડીયા ખાતે કચેરી સંપૂર્ણ કાર્યરત થઇ છે. તા.26 સોમવારથી કચેરીની સંપૂર્ણ કામગીરી એ.આર.ટી.ઓ કચેરીના નવા સરનામા- “સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-મોરબી”, જાંબુડીયા, મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે, મોરબી-363642 ખાતેથી થશે જેની જીલ્લાની સર્વે મોટરીંગ પબ્લિકને નોંધ લેવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
