રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા………..


હડિયાણા ગ્રામ પંચાયત કચેરી ખાતે નવા વહીવટ દાર હાજર થયા છે. અને તરત જ પચાયત ના તમામ કર્મચારીઓ ના પડતર માગણીઓ સાંભળીને છેલ્લા દશ મહિના થી પોતાના કામના બદલા માં વેતન આપવામાં આવ્યું ન હોય. ત્યારે વહીવટ દાર દ્વારા તરત જ તમામ કર્મચારીઓને પગારની ચુકવણી કરી આપવામાં આવેલ છે. તમામ કર્મચારીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા. અને ગામની આથમણી દિશામાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ આશરે 50 જેટલા મકાનો માં વસવાટ કરતા મકાન માલિકોને પીવા ના પાણી ની લગભગ એક વર્ષ થી તકલીફ પડતી હતી. તેની રજુઆત કરવા માટે મહિલા ઓ પાણીના બેડા સાથે પચાયત કચેરી એ આવ્યા હતા. અને તરત જ વહીવટ દાર દ્વારા પાણી પુરવઠા વિભાગની કચેરીમાં ફોન દ્વારા જાણ કરી હતી. અને તેમને અધિકારી ઓ તરફથી બપોર ના ત્રણ વાગ્યે સ્થળ ઉપર હાજર રહ્યા હતા.. અને પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થવાથી નુકશાન થયું હતું. તેને તરત જ રીપેરીંગ કરી ને જોડાણ કરવા માં આવ્યું હતું. અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.વહીવટદાર દ્વારા આવાસ ની રૂબરૂ મુલાકાત લીધી હતી.મકાન માલિકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….



