દેહદાતા તેમજ ચક્ષુદાતા ડીસાના દિનેશભાઈ દવેનું કરવામાં આવેલ મરણોતર સન્માન
સંગીત,સાહિત્ય,કલા,સેવા,સમાજ,ધર્મ અને રાષ્ટ્રના પ્રખર પ્રેમી એવા ડીસાના દિનેશભાઈ વીરેશ્ર્વરભાઈ દવેનું તાજેતરમાં 81 વર્ષની જૈફ વયે નિધન થતાં તેમની હયાતીની ઈચ્છા મુજબ પરિવારજનોએ તેમનું દેહદાન તેમજ ચક્ષુદાન કરી ખૂબ જ પ્રેરણાદાયી સત્કાર્ય કર્યું હતું.
દિનેશભાઈ દવેની અતિ ઉમદા સમાજલક્ષી તેમજ આરોગ્યલક્ષી કામગીરીને ધ્યાને લઈ શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્રારા અનેકજનોની હાજરીમાં તેમનું સન્માનપત્ર દ્રારા મરણોતર સન્માન કરાયું હતું. આ અવસરે સર્વ મફતલાલ મોદી,ડો.સી.કે.પટેલ,મગનલાલ માળી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ભગવાનભાઈ બંધુ,રસિકલાલ ચાંપાનેરી,નટુભાઈ પટેલ સહિત વિવિધ સેવાભાવી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમના પરિવારજનોએ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.સૌ વકતાઓએ દેહદાન તેમજ ચક્ષુદાનની સમગ્ર માનવ સમાજની ખૂબ જ મોટી સેવા થઈ શકે છે તેમ જણાવ્યું હતું.

