
આમરણ તા ૩ આમરણ બેંક ઓફ બરોડા માં ઘણો સમય થયા ખાલી પડેલી એગ્રીકલ્ચર ઓફિસર ની જગ્યા મા ઓફિસર ની નિમણુક માટે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરેલ છે હાલ પાક ધિરાણને લઈને ચાલતી કામગીરી માં 1500 જેટલા એકાઉન્ટ ધરાવતી બેંકમાં સ્ટાફ ની ઘટ ને લઈને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને પાક ધિરાણ ભર્યા પછીના ચારથી પાંચ દિવસ પછી ખેડૂતોને નવું ધિરાણ મળી રહ્યું છે જેથી કરીને સરકાર શ્રી તરફથી મળતી વ્યાજ માફી ની સ્કીમ ના લાભ પણ ખેડૂતો બાકી રહી જતા હોય છે તો ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ના ધોરણે ખાલી જગ્યા પુરવા ફડસર ગામના ના જાગૃત નાગરિક ભરતભાઈ ડી કુંભારવાડીયા એ આજરોજ રજૂઆત કરેલ


