
*ફરી વરસી પડ્યા વલ્લભદાદા !*
લંડનના વયોવૃદ્ધ વલ્લભદાદાની વિશાળતાનો એકવાર ખ્યાલ આપ્યો હતો.આ મહામાનવની ઉમદા વાત એ છે કે દાન સ્વીકારનાર દાતાનુ સન્માન કરે છે પણ આ દાતા દાન લેનારનું પ્રથમ સન્માન કરે છે અને તેનું દાન સ્વીકારવા
બદલ પગે પડીને આભાર માને છે
બેએક દિવસ પહેલા તેમના પ્રતિનિધિ તરીકે તેમના શાપુર કારીયા પરિવારના બે યુવાનો વિકેશભાઈ અને રિકેશભાઈ
મારે ઘેર આવ્યા, દાદાએ શીખવેલા શિષ્ટાચાર મુજબ ફુલહાર પહેરાવી મને સન્માનિત કર્યો અને પગે લાગ્યા
એક પછી એક ભેટનો ખજાનો ખોલતા ગયા. જલારામબાપાનો ભોજનથાળ મૂકવા ચાંદીનો પાટલો, ગર્ભદ્વારમા બિરાજમાન મૂર્તિઓ સમક્ષ થાળ પીરસવા સ્ટીલની ત્રણ ડીશ અને છ વાટકી, નાળિયેર, સાકરનો પડો, રૂની વાટ નું પેકેટ,અગરબતીનુ બંડલ
આ ઉપરાંત વિરબાઇમા માટે *સોનાનો ચાંદલો* ગાલે લગાડવા માટે *સોનાનો તલ*
જલારામ પરિવાર ટ્રસ્ટ વલ્લભદાદાનો
આદરપૂર્વક આભાર માને છે
હિરેન નાગ્રેચા જૂનાગઢ
9898915874

