
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૨૯ મે ૨૦૨૩ ના રોજ નાગરિકો ને મુલાકાત માટે મળી શકશે નહિ.
મુખ્યમંત્રીશ્રી તેમના પૂર્વ નિર્ધારિત રોકાણો ને કારણે આવતી કાલ, સોમવારે મુખ્ય મંત્રી કાર્યાલય માં ઉપસ્થિત રહેવાના નથી.
મુખ્યમંત્રીશ્રી સામાન્ય નાગરિકો, જનપ્રતિનિધિઓ અને પ્રજાવર્ગો ને મુખ્ય મંત્રી કાર્યાલય માં દર સોમવારે મુલાકાત માટે જનતા દિવસ અન્વયે મળતા હોય છે.
પરંતુ આવતી કાલે સોમવાર, ૨૯ મે ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના અન્યત્ર રોકાણો ના કારણે લોકોને મુલાકાત માટે મળશે નહિ.
