
રાજ્યમાં બિપ્રોજોય વાવાઝોડા ની સંભવિત વ્યાપક અસર ને અનુલક્ષી ને દરીયા કિનારા ના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢ માં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવા નો મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂન ના દિવસો એ યોજાશે.
