
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય ના દરિયાઈ વિસ્તાર ના જિલ્લાઓ માં સંભવિત બીપ્રોજોય વાવાઝોડા ની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામો માં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળ ના વરિષ્ઠ મંત્રીઓ ને આ જિલ્લાઓ ની જવાબદારી સોંપી છે.
તદનુસાર , કચ્છ જિલ્લામાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,
મોરબી માં શ્રી કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં શ્રી રાઘવજી પટેલ, પોરબંદર માં શ્રી કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લા માં શ્રી મુળુ ભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં શ્રી હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે શ્રી જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે શ્રી પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે.
આ બધા જ મંત્રીશ્રીઓ ને તેમને સોંપાયેલા જિલ્લાઓ માં પહોંચવા ની સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
