
વાંકાનેર તાલુકા પો.સ્ટેના છેલ્લા દોઢ વર્ષથી અપહરણ ના ગુનાના આરોપીને કોલકતા ખાતેથી પકડી તથા ભોગ બનનારને શોધી કાઢતી AHTU ટીમ મોરબી.
તા.૦૪/૧૦/૨૦૨૩
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહબે અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ નંદલાલ વરમોરા તથા ભરતસિંહ ડાભી ને અંગત બાતમીદાર તથા ટેકનિકલ સોર્સ દ્રારા હકીકત મળેલ હતી કે, વાંકાનેર તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૩૩૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬, મુજબના ગુન્હાના કામનો આરોપી ઉમાશંકર ગૌરાંગાસુંદર ભુણીયા ફરીયાદીશ્રી ની સગીર વયની દિકરીને એરાક્રોન સીરામીક માટેલ રોડ, ઢુવાથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી કોલકતા હોવાની હકીકત આધારે AHTU ટીમ દ્રારા કોલકતાથી હસ્તગત કરી તેમજ ભોગ બનનારને પણ શોધી કાઢેલ છે.અને વાંકાનેર તાલુકા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર નાઓને સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર AHTU મોરબી તથા HC નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, ફુલીબેન ઠાકોર તથા બકુલભાઇ કાસુન્દ્રા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.
