
*માળિયા મી.તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર વવાણીયા ખાતે ફરજ બજાવતા જુનિયર ફાર્માસિસ્ટ મેહુલદાન ગઢવી ની અન્ય તાલુકામાં બદલી થતા માનભેર વિદાય આપવામાં આવી…*
આજ રોજ માળિયા તાલુકા ના વવાણીયા પ્રા.આ.કેન્દ્ર વવાણીયા ખાતે જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા મેહુલદાન ગઢવી ની ટંકારા તાલુકા ના લજાઈ પ્રા.આ.કેન્દ્ર ખાતે બદલી થતા તેમનો પ્રા.આ.કેન્દ્ર વવાણીયા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો..અને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
આ કાર્યકમ માં વવાણીયા પ્રા.આ.કેન્દ્ર ના સમગ્ર સ્ટાફ હાજર રહેલ હતો..
આ તકે પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી દ્વારા મેહુલદાન ગઢવી એ પ્રા.આ.કેન્દ્ર ખાતે નિષ્ઠા થી કરેલ કામગીરી ને બિરદાવવામાં આવી હતી..તેમજ આગળ ઉતરોત્તર પ્રગતિ કરતા રહે. તેમજ પોતાની કામગીરી પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતા થી કરે એ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રા.આ.કેન્દ્ર ના સુપર વાઈઝર નરેશ પરમાર તેમજ કેતન ભાઈ ભટ્ટાસના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી…

