લૈયારા પ્રાથમિક શાળામાં સમગ્ર સ્ટાફ દ્વારા સ્વખર્ચે બાળકોને રિસેસના સમય દરમિયાન મધ્યાન ભોજન જાતે બનાવીને બાળકોને પીરસવામાં આવે છે. આ રીતે દૂર દૂરથી આવતા બાળકોને જમવાની વ્યવસ્થા શાળાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે. ધોરણ ૬ થી ૮ ની શાળાઓ શરૂ થઈ ત્યારથી જ બાળકો ના ભોજનની વ્યવસ્થા શાળાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે. આ કાર્ય બદલ સમગ્ર લૈયારા શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન…


શરદ એમ.રાવલ..હડિયાણા..
