*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

વાંકાનેર ખાતે આવેલ રેલવે કોલોની નજીકની સરકારી પ્રાથમિક શ્રી જંકશન તાલુકા શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ ભવાનભાઈ સિંધવ નો વય નિવૃત્તિ વિદાય સમારંભ ગત તારીખ 31/7/2021ના
રોજ શ્રી જંકશન તાલુકા શાળામાં યોજવામાં આવેલ સદર કાર્યક્રમમાં શ્રી જંકશન તાલુકા શાળા ની પેટા શાળાના તમામ શિક્ષકો તથા અન્ય આમંત્રિત મહેમાનોની હાજરીમાં સિંધવ સાહેબ ની શિક્ષક તરીકે ૩૫ વર્ષની નોકરીમાં તેમને કરેલી કાર્યપ્રણાલીને અને તેમનાં વ્યક્તિગત પરિચય અને શૈક્ષણિક બાબતોની વાતો કરવામાં આવેલ
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના બાદ શિક્ષક સિંધવ ભાઈ ને ફુલ હાર શ્રીફળ પડો શાલ અને સન્માન પત્ર તથા નાની એવી ગિફ્ટ આપી તેમનું સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ હાલ કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઇડ લાઇન સર સાદાઈથી આયોજન કરવામાં આવેલ હતુ જેમાં સંપૂર્ણ કાર્યક્રમ વાંકાનેર રેલવે કોલોની નજીક ની સરકારી પ્રાથમિક શાળા શ્રી જંકશન તાલુકા શાળા પેટા શાળા ના તમામ શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ નોંધનીય છે કે શિક્ષક આચાર્ય સિંધવ
સાહેબ શ્રી જકશન તાલુકા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વોટર ફિલ્ટર અર્પણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ મોટાભાગના શિક્ષક હાજરી આપેલ જે સમગ્ર કાર્યક્રમની તસવીર નજરે પડે છે
