મોરબી : મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ અને ગુર્જર સુતાર વિદ્યાર્થી ભવન દ્વારા નવા ટ્રસ્ટીઓની નિયુક્તિ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે સામાન્ય સભા આગામી તા. 4ના રોજ બુધવારે બપોરે 4 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિ વાડી, યુનીટ-1, ઘંટીયા પા, ભવાની ચોક ખાતે યોજાશે. તો આયોજકો દ્વારા સર્વે જ્ઞાતિજનોએ હાજરી આપવા અપીલ કરાઇ છે.
