
“સમગ્ર પત્રકાર મિત્રોએ પત્રકાર સુરક્ષા કાનૂન માટે સહભાગી થવાની તૈયારી બતાવી”
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પત્રકારત્વ ક્ષેત્રે જાણીતા એવા જીગ્નેશભાઈ કાલાવડીયા એ તાજેતરમાં જ ઇન્દોર ખાતે પત્રકાર ના પ્રશ્નો અંતર્ગત ઈન્દોર ની સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત “ઈન્દોર પ્રેસ ક્લબ”માં હાજરી આપી હતી. જેમાં પત્રકારોના વિવિધ પ્રશ્નો અંતર્ગત ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવેલ તેમાં ખાસ કરી પત્રકાર નું સંગઠિત મોટું જૂથ સાથે પત્રકારોના હિત હક અધિકાર મા સર્વે પત્રકારોએ સહભાગી થવાનો હર હંમેશ સાથે રહેવાની બાંહેધારી આપી હતી તેમાં સૌરાષ્ટ્રના ચક્રવાત દૈનિક અખબારના મેનેજિંગ એડિટર જીગ્નેશભાઈ કાલાવડીયા સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે.
