*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માઢવાડ બંદર ખાતે કોળી સમાજના પૂર્વ પટેલ શ્રી, લખમણભાઇ ગુલાભાઇ સોલંકી ને તેમના સમાજના પટેલ શ્રી, કાલિદાસ ભગવાન વંશ, પ્રેમજી બાવા મંત્રી, વીરજી સીદી બારૈયા, શામજી વરજાંગ બારીયા, કાના મથુર સોલંકી, વિપુલ ભીખા બારીયા, છબીલ કરસન બારીયા, બોટ એસોસિએશનના પ્રમુખ, ભીખા હરજી સોલંકી વગેરે મારી ઉપર ખોટા આક્ષેપ કરી અને સામાજિક રીતે બહિષ્કાર કર્યો છે. અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એટલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં પણ પોલીસ તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર આપવામાં આવ્યો નથી. અને કોડીનાર પોલીસ આવા લોકોને છાવરવાની કોશિશ કરે છે. હાલ અમારું નાનું એવું પરિવાર છે. એમાં મારી પત્નીનું અવસાન થતાં મને સમાજ તરફથી સમાજની જગ્યામાં તેમની વિધિ કરવા માટે પણ જગ્યા આપી ન હતી. અને ઘણા વ્યક્તિઓને ખાપ પંચાયત ચલાવી. અને ઘણા લોકોને સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવે છે. અને સરકારશ્રીની વિનંતી કરવામાં આવે છે કે હું પીડિત પરિવાર લખમભાઈ ગુલાભાઈ સોલંકી અપીલ કરું છું કે કાયદેસર ભારતીય બંધારણ વિરુદ્ધ આવી પંચાયતો અભણ માણસો દ્વારા ચલાવવામાં આવે છે તો આની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે.
