
ગત્ રોજ તા.૧૮/૯/૨૩ના રોજ ટંકારા ગામે ગ્રામ પંચાયત ની સામાન્ય સભા મળી હતી.
જેમાં ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા એ ગ્રામ પંચાયત ,તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતને ટંકારાના ઉગમણા નાકા થી અમરાપર, ટોળ, જડેશ્વર થઇ વાંકાનેર તરફ જતા રોડ પર ટંકારા ગામની ડેમી નદી પર વર્ષો જૂનો “કોઝ વે” ટાઈપ બેઠો પુલ આવેલો છે જે એકદમ જર્જરીત થઈ ગયો છે.તેના પર થી ગામ લોકો, વાહનો, ખેડુતો, સ્કુલ બસો, સરકારી બસો તેમજ ભારે વાહનો પસાર થાય છે.ચોમાસાની સીઝન માં ડેમી નદીમા ઉપરવાસ “ડેમી – ૧” સિંચાઇ યોજના હોઈ તે ઓવરફ્લો થતાં અને ડેમી નદીમા વરસાદના કારણે બે કાંઠે પુર આવતાં આ અગત્યનો અવર જવર નો રસ્તો કેટલાય દિવસ સુધી બંધ રહે છે અને વાહન વ્યવહાર ખોરવાય જાય છે.
ડેમી નદી નો બેઠા પુલ જેવો “કોઝ્ વે” ઉંચો ઉપાડી મોટો પુલ બનાવવાં માં આવે તો ટંકારા ગામ ના ઉગમણી સીમના ખેડુતો, અમરાપર, ટોળ, કોઠારીયા ગામના લોકો અને અતિ પ્રાચીન, પ્રસિદ્ધ અને પૌરાણિક “જડેશ્વર મહાદેવ”ના મંદિરે જતા સેંકડો શ્રઘ્ધાળુઓ ની કાયમી તકલીફ દુર થાય.
હેમંતભાઈ ચાવડા એ ગ્રામ પંચાયત ટંકારાને લેખીતમાં રજુઆત કરી હતી. ટંકારા તાલુકાના મોટામાં મોટી ગ્રામ પંચાયતના એક્માત્ર તલાટી કમ મંત્રી શ્રી હરદેવસિંહ અજીતસિંહ જાડેજાએ લેખીત રજુઆતને સરકાર શ્રી સુઘી પહોચાડી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.*(અહેવાલ : નૈમિષ સેજપાલ)*

