
શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર વિશિષ્ટ કામગીરી બદલ પારિજાત સાહિત્ય સંસ્થા દ્વારા સોલંકી હેતલબેન ને સન્માનિત કરવામાં આવ્યા..
ટંકારા તા ૨૫ (*નૈમિષ સેજપાલ ટંકારા*) પારિજાત ગ્રુપ કે જે ભારતના સુંદર ઘડતર કરનારા શિક્ષકો તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ કરી અને સાહિત્ય પ્રત્યે જાગૃતિ લાવનાર તમામ શિક્ષકોને સન્માનિત કરવા માટે પારિજાત ગ્રુપ ના સ્થાપક શ્રી માણેક ભાઈ પટેલ ના સાનિધ્યમાં આખા ગુજરાતના શ્રેષ્ઠ 51 શિક્ષકોને પારિજાત એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા .જેમાં મેઘપર ઝાલા માં છેલ્લા 15 વર્ષ થી ફરજ બજાવતા સોલંકી હેતલબેનને સન્માનિત કરવામાં આવ્યા.જે આપણા માટે ગૌરવ ની વાત છે.
આ એવોર્ડ બદલ મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા હેતલબેન ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માં આવ્યા.


