
*જાડેજા પરિવારના યજમાન પદે ધર્મોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે*
મોરબીઃ માળિયાના મોટા દહીંસરા ગામે જાડેજા પરિવાર દ્વારા તા.૧૫થી ત્રણ દી’ મોમાઈ ધામું મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે. તા.૧૫ થી ૧૭ એમ ત્રણ દિવસીય મહોત્સવ ઉજવાશે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યપદે હસુભાઈ પંડયા છે. ત્રણ દી’ મહોત્સવમાં તા.૧૫ના સવારે ૯ થી ૧૨ દેશ સુધ્ધિ, ગણપતિ સ્થાપના, માતાજીની શોભાયાત્રા, બપોરે ૩ થી ૫ પ્રતિષ્ઠા યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ તા.૧૬નું સવારે ૯ થી ૧૨
જલયાત્રા, મંડપ પ્રવેશ, કુળદેવી, મૂર્તિના ન્યાસ, ધ્યાન, કુટીર હોમ, બપોરે ૩ થી પ સુધી પ્રતિષ્ઠા યજ્ઞ, તીર્થ જલ અમૃતાભિષેક, ધાન્યાધીવાસ યોજાશે તા.૧૭ના સવારે કુળદેવી રાજોપચાર પૂજન, નવચંડી યજ્ઞ, સ્થાપિત દેવાનો યજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહર્તમાં, ધ્વજારોહણ અને સાંજે ૪ કલાકે પૂર્ણાહુતિ, સાંજે ૪-૩૦ કલાકે મહાઆરતી યોજાશે.
તા.૧૭નાં સાંજે ૬ કલાકે સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા સમાજ વાડી વિવેકાનંદનગર મોટા દહીંસરા ખાતે મહાપ્રસાદ યોજાશે. મહોત્સવના મુખ્ય યજમાન તરીકે જયદીપ એન્ડ કંપની મોટા દહીંસરા-વવાણીયા- મો૨બી બિરાજશે.
*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*
