
મોરબી:તા૪ મોરબીમાં સંવિધાન સેવા મંચ દ્વારા જિલ્લાના અનુસૂચિત જાતિના વર્ષ ૨૦૨૫ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન આવતીકાલ તા. ૫-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે લવકુશ પાર્ટી પ્લોટ (૭૭૭ કારખાનું), તથાગત બુધ્ધ કોમ્યુનિટી હોલની બાજુમાં, ભડિયાદ રોડ, મોરબી-૨ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હંસાબેન પરઘી (પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયત) અતિથિ વિશેષ તરીકે વિનોદભાઈ ચાવડા (સાંસદ, કચ્છ), કેસરીદેવસિંહ ઝાલા (સાંસદ, રાજ્યસભા) ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
