
બાલંભા ખાતે સાધુ બ્રાહ્મણ તેમજ દશનામી સમાજ દ્વારા સમૂહ ભોજન તેમજ સ્નેહ મિલનનો કાર્યક્રમ હર્ષો ઉલ્લાસ સાથે સંપન્ન.
બાલંભા તા. 30( લલિત નિમાવત દ્વારા ) બાલંભા ખાતે તારીખ 28 ના રોજ બાલંભા બ્રહ્મ સમાજ. રામાનંદીસાધુ સમાજ તેમજ દશનામી ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન તેમજ સમૂહ ભોજન સમારંભ નો કાર્યક્રમ રાખેલ હતો જેમાં ત્રણેય સમાજના પરિવારજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પારિવારિક સ્નેહ મિલન તેમજ સમૂહ ભોજન નો કાર્યક્રમ ઉત્સાહ. ઉમંગ. અને પારિવારિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયેલ હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં ત્રણેય સમાજના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદમય ક્ષણો મા ણી હતી આ કાર્યક્રમનો હેતુ સંગઠન. સહયોગ. સંસ્કાર. સેવા અને સમર્પણ ને સાર્થક કરતો આ કાર્યક્રમ દરેક સભ્યો વચ્ચે આત્મીયતા પરસ્પર પરિચય અને પારિવારિક સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી યોજેલ હતો આ કાર્યક્રમ દરમિયાન ચોરાસી સમાજના ચહેરા ઉપર આનંદ અને ઉત્સાહ જોવા મળેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ચોરાશી સમાજના ભરતભાઈ રાવલ. પ્રવીણભાઈ ઠાકર. ગિજુભાઈ જોશી. બકુલ જાની. કિશોરભાઈ ઠાકર. લલીતભાઈ નિમાવત. કૈલાશગર ગોસાઈ. રાજુભારથી મહેશભાઈ રામાવત. નારણ રામાવત. ગટુભાઈ ગોસાઈ. મનીષભાઈ ગોસાઈ. પ્રવીણભાઈ નિમાવત તેમજ ચોરાશી સમાજના જ્ઞાતિજનોએ તન. મન. ધનથી સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો
રિપોર્ટ.. લલીતભાઈ નિમાવત બાલંભા
