• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના રફાળેશ્વર મંદિરે આગામી 11 મે સુધી ધાર્મિક વિધિઓ બંધ*

મોરબી : કોરોના મહામારીને પગલે મોરબી નજીક આવેલા પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃકાર્ય અને નારણબલી સહિતના ધાર્મિક વિધિઓ આગામી તા.11 મે સુધી બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે.                              મોરબી મહારાજા લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા મુજબ કોરોના કેસો વધી રહ્યા હોવાથી ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મહાદેવ મંદિરે પીતૃમાસમાં પિતૃકાર્ય અને નારણબલી માટે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને આગામી ચૈત્ર માસ તા. ૧૩ થી ભાવિકોની ભીડ એકત્રિત થાય તો વર્તમાન સમયમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાની દહેશત હોય જેથી જાહેર હિતમાં તા. 11 મે સુધી ધાર્મિક કાર્યો અને ધાર્મિક સામાજિક જમણવાર અને ધાર્મિક વિધિ માટે જગ્યા ફાળવણી કરવામાં આવશે નહિ ફક્ત દર્શન માટે મંદિર ચાલુ રહેશે.અને જે લોકોએ અગાઉ ધાર્મિક કાર્ય માટે ડિપોઝીટ ભરી હોય તેમને અસલ પહોંચ રજૂ કરી રિફંડ મેળવી લેવા યાદીના અંતે જણાવાયું છે.

Related posts

*જોડિયાના જીરાગઢ ગામ ના પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો*

Hello Morbi

*જોડીયા ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અધિયક્સ સ્થાને મિટિંગ નું આયોજન કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીની ઉજવણી*

editor

Leave a Comment