
પ્રવર્તમાન સમયે કોરોના વાયરસે સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત મા પણ કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. દીન પ્રતિદીન કોરોના ના કેસ તેમજ મૃત્યુ આંક વધી રહ્યો છે તેવા મા મોરબી ના યુવાન *જીતેન હીતેન્દ્રભાઈ આડેસરા* એ રાજકોટ ખાતે પ્લાઝ્મા ડોનેટ કરી મહામુલી માનવ જીંદગી બચાવવા નુ ભગીરથ કાર્ય કર્યુ છે. આ તકે રાજકોટ પ્લાઝ્મા ગૃપ તથા મોરબી પ્લાઝ્મા ગૃપ તરફ થી લોકો ને અપીલ કરવા મા આવી છે કે વધુ ને વધુ લોકો પ્લાઝ્મા ડોનેટ કરી માનવ જીવન બચાવવા ના ઉમદા કાર્ય મા સહભાગી થાય.
-અહેવાલ
નિર્મિત કક્કડ
