શરદ એમ.રાવલ.. હડિયાણા…
ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પર સ્વચ્છતા અભિયાન ક્લીન ઇન્ડિયા કાર્યક્રમ નું આયોજન તારીખ ૧૧/૧૦/૨૦૨૧ ના રોજ જોડિયા તાલુકા ના મોરાણા તેમજ મેઘપર ગામ માં કરવામાં આવેલ હતું, જેમાં ગામ ના મંદિર મેદાન માં પ્લાસ્ટિક ની સફાઈ હાથ ધરવામાં આવેલ હતી પ્લાસ્ટિક વેસ્ટેજ ભેગો કરી બોરી માં બાંધવામાં આવેલ તેમજ જાહેર સ્થળો ની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવેલ હતી.આ અભિયાન નો ઉદેશ્ય પ્લાસ્ટિક મુક્ત ભારત કરવાનો છે.ગાંધીજી સ્વચ્છતા ને આધીન હતા,સ્વચ્છતા રાખવી એ સેવા સમાન છે એ વાત ને મન માં ગુંથી રાખી સ્વચ્છતા રાખીશુ એ સંકલ્પ મનમાં રાખીશુ ,આ કાર્યક્રમ નું આયોજન નેહરુ યુવા કેન્દ્ર જામનગર ના રાષ્ટ્રીય સ્વયંસેવક તેમજ ઉડાન યુવા ક્લબ ના સભ્યો દ્વારા કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમ નું માર્ગદર્શન નહેરુ યુવા કેન્દ્ર જામનગર ના જિલ્લા યુવા અધિકારી શ્રી રસ્તોગી દ્વારા કરવામાં આવેલ હતું …..

