*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે સરકાર હઝરત રોશન શા બાબા ર. અ નો ઉર્ષ શરીફ ઘાંટવડ રોશનશા બાબા કમિટી તથા ઘાંટવડ સુન્ની મુસ્લિમ સમાજ તરફથી ઉર્ષ શાનો શોકત થી અને ભાઇચારા અને એકતાથી મનાવવામાં આવ્યો હતો તેમાં શનિવારે રાત્રે ચંદલ શરીફ રાખવામાં આવ્યું હતું અને રવિવારે ઉર્ષ શરીફ મનાવવામાં આવ્યું હતું જેમાં બપોરે બાદ આમ ન્યાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને નાત શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતો જેમાં બહારથી ઓલમાયે કિરામ અને નાતખાં તશરીફ લાવ્યા હતા જેમાં ગુજરાત ના મશહૂર નાતખાં મૌલાના સાહિલ અલીસા બાપુ (માધવપુર ઘેડ) થી તશરિફ લાવ્યા હતા તથા છાછર થી મસ્જિદ એ મોલાં અલી ના પેસિમામ ચીરાજી સૈયદ અહેસાન બાપુ તથા ઘાંટવડ ના પેઇસિમામ સરકાર હઝરત સૈયદ હનીફ બાપુ સીરાજી તથા તાલાળા થી સોહિલ બાપુ રફાઈ તથા મૌલાના અસરફ બાપુ તથા તાલાળા થી ખાન ભાઈ તથા અબ્દુલ ભાઈ મહેતર
તથા આજુ બાજુ ગામ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
