
ખૂબ જ જ્ઞાની,અભ્યાસુ,પ્રખર વકતા એવા પૂજ્ય આનંદનાથજી મહારાજને સાંભળવા એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે.અંદાજે છેલ્લા દસેક વર્ષથી ડીસા સાથે તેમનો ઘનિષ્ઠ નાતો રહ્યો છે.તારીખ 5-1-2022 બુધવારથી પૂજ્ય આનંદનાથજી મહારાજ ના વ્યાસાસને કાંટ (ડીસા) ખાતે શ્રી રામકથા તત્વાર્થ જ્ઞાનયજ્ઞ(રામકથા) નો પ્રારંભ થવા જઈ રહેલ છે જે તારીખ 13-1-2022 ગુરૂવાર સુધી ચાલશે.
આનંદ સત્સંગ પરિવાર ડીસા સાથે સંકળાયેલા અને પૂજ્ય ગુરૂદેવના ચાહક કાંટના રામભાઈ રણછોડજી માળી (મોબાઇલ. 9427309756) તેમજ તેમના ભાઈઓ અને સમગ્ર પરિવારના સહકારથી યોજાનાર આ કથા કાંટના રણછોડપુરા ખાતે પ્રતિદિન બપોરે 1=15 કલાકેથી શરૂ થઈ સાંજના 4=30 વાગ્યા સુધી ચાલનાર છે.આ રામકથાનો વિશેષ લાભ લેવા ધર્મપ્રેમી રામાયણી પ્રજાને આયોજક દ્રારા વિશેષ અનુરોધ પણ કરાયો છે.. 🕉🕉 શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા..(શુભારંભ કર્યા તારીખ 26/7/2018) સહ્દયી જાણકારી-આમંત્રણ 🚩🚩🚩🚩🚩🚩
તારીખ 6-1-2022 એકસો એકયાસીમા(181) ગુરુવારે ખૂબ જ ભક્તિભાવવાળા ડીસા નગરમાં પ્રકાશ,પાણી,પવન, પાથરણુ, પવિત્રતા અને સાદા પ્રસાદ આધારિત પૂજય જલારામબાપાનાં ભજનો ખૂબ જ પૂન્યશાળી,નસીબદાર અને ભાગ્યશાળી એવા માનનીય શ્રી અમીતકુમાર હીરાલાલ ઠક્કર/જોબનપુત્રાના નિવાસસ્થાને રાખેલ છે.સમયસર પધારવા વિનંતી..
નમ્ર નોંધ: કોરોનાથી ચેતતા રહેવા માટે માસ્ક તેમજ સોશીયલ ડીસ્ટન્સની કાળજી રાખવી જરુરી છે.
➡સ્થળ: એરોમા ઉપવન,અમી સોસાયટીની સામે,કાંટ રોડ ,ડીસા
મો…9924202981
➡ભજનનો સમય રાત્રે 8=30 થી 10=00 સુધી
➡નમ્ર નોંધ:સમય કરતાં પાંચ મિનિટ વહેલા પધારવા વિનંતી..
ભગવાનભાઈ બંધુ ડીસા ના બાપા સીતારામ જય જલારામ આપે આશીર્વાદ
