રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ અંગે ચાલતા રામમંદિર નિર્માણમાં બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક બાળક વેદાંત હિરેનભાઈ પારેખ દ્વારા પોતાના પોકેટમની બચતના કુલ 5856 રુ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલય ખાતે સમર્પણ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત વિપુલભાઈ અઘારા જ્યોતિસિંહ જાડેજા લલિતભાઈ ભાલોડિયા અશ્વિનભાઈ કોટક જયંતિભાઈ રાજકોટીયા જયદિપભાઈ કંઝારીયા રણછોડભાઈ કુંડારીયા તથા પિતા હિરેનભાઈ પારેખ સહિતના આગેવાનોએ બાળકની રામભક્તિને બિરદાવી હતી.