

*મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા*
મોરબીના ઝુલતા પુલ ખાતે થયેલ દુર્ઘટના અન્વયે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સતત બીજા દિવસે ઘટના સ્થળની મુલાકાત લઇ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરી અંગેની જાણકારી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ તકે નૌ સેના, એન.ડી.આર.એફ., આર્મી, પોલીસ વગેરે વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સાથે આ તકે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રભારી મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા શ્રી મોહનભાઈ કુંડારીયા, મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાશનાથન, રેન્જ આઈ.જી. શ્રી અશોક કુમાર યાદવ, રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ, મોરબી કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યા સહિતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.
000000
