મોરબી તા ૨૬ મોરબીના સામાજિક આગેવાનો મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરીયા, રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, મુકુંદભાઈ જોશી, તેમજ મુછડીયા વાલજીભાઈ ધનજીભાઈ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી ને રજૂઆત કરી હતી કે મોરબીમાં હાલ આવડી મોટી સિવિલ હોસ્પિટલમાં ક્યાંય શૌચાલયની સુવિધાઓ નથી તેમજ ગાંધી ચોકમાં પણ છેલ્લા બે વર્ષ થયા શૌચાલય બંધ છે તો તાત્કાલિકના ધોરણે યોગ્ય પગલાં લઈ અને આ શરૂ થાય તેવી ઉગ્ર માંગ કરી હતી
તેમજ નેરુગેટ ચોકમાં લેડીઝ સૌચાલય તાજેતરમાં નવું બનાવવામાં આવ્યું હતું. પરંતુ ત્યાંની પાણીની મોટર થોડો સમય અગાઉ ચોરાઈ ગઈ હતી તો તેમની તપાસ થવી જોઈએ અને ત્યાંના નળ તેમજ લાઇટો ની પણ મરામતની જરૂર હોવાથી તેમની પણ મરામત કરાવી અને આ સુવિધા ફરીથી શરૂ થાય તે માટે સામાજિક આગેવાનોએ રજૂઆત કરી હતી


