
જેમના વ્યક્તિત્વ, કૃતિત્વ અને નેતૃત્વ એ વિશ્વભરમાં દેશની દિવ્યતા અને ભવ્યતાને ઉજાગર કરી છે તથા જેમની ક્ષણ-ક્ષણ સેવામાં સમર્પિત છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.
માનનીય મોદી સાહેબની મુલાકાત સમયે મોરબીની સુખાકારીમાં વધારો કરવા માટે 3 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ
(1) મોરબીને અન્ય રાજ્યો સાથે જોડતી ડેઇલી ટ્રેનની સુવિધા
(2) મોરબીના રાજપર ગામ મુકામે ચાલી રહેલા એરપોર્ટ નું કામ જલ્દી પૂરું કરી મોરબી ના હવાઈ સુવિધા ત્વરિત આપવા બાબત
(3) મોરબી જિલ્લાનો કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ફાળવવા બાબત.

