
*મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની યાદી જણાવે છે કે*
બીપરજોય વાવાઝોડુ આજે મોરબી થી સૌથી નજીકના અંતરથી પસાર થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારના અભિગમ અનુસાર કોઈ જ પ્રકારની જાનહાની ન થાય તે બાબતના અનુસંધાનમાં આજે બપોરે મોરબી શહેરના તમામ વ્યવસાય કાર્યો દુકાનદારોએ સ્વેચ્છિક રીતે પોતાના વ્યવસાય ધંધા-રોજગાર બંધ રાખવા વિનંતી.
ઝડપી પવનમાં કોઈ બોર્ડ હોલ્ડિંગ તૂટે કે કોઈ મકાનનો કાટમાળ પડે કે અન્ય દુર્ઘટના બને તેવી સ્થિતિ ટાળવા પૂરી સમજદારી, પૂરી પરિપક્વતા અને પૂરી તકેદારીના ભાગરૂપે *તા. 15-6-2023 બપોરે 2:00 કલાક* થી બજારો બંધ રાખવા અને પ્રજાજનોને બહાર ન નીકળવા ખાસ વિનંતી સાથે અપીલ કરીએ છીએ.

