
વર્ષ 2079 ના છેલ્લા ગુરૂવારે જલારામ બાપાના ભજનોની ડીસામાં જામી રમઝટ
350000 ત્રણ લાખ પચાસ હજારની ટેંટોડા ગૌશાળામાં ગૌસેવા અર્પણ કરાઈ
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 277 મા ગુરૂવારે ભજનોની રમઝટ જામી હતી.વર્ષ 2079 નો છેલ્લો ગુરૂવાર હોઈ ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હરેશભાઈ મઘારામભાઈ ઠકકરની લાડકવાયી દીકરી ચિરંજીવી યશવીનો જન્મદિવસ હોઈ તેમના પરિવારે ગૌસેવા તેમજ ભજનભાવના માધ્યમથી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સૌને પ્રેરણા આપી હતી.
આ દિવ્ય અને પવિત્ર અવસરે ટેંટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજને રૂપિયા ત્રણ લાખ પચાસ હજારની ગૌસેવા અર્પણ કરવામાં આવી હતી.આ શુભ ઘડીએ સર્વ કનુભાઈ આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ ણપી.ઠક્કર,શશીકાંતભાઈ ડી.ઠકકર,નરેશભાઈ ડી.આચાર્ય,જગદીશભાઈ કકકડ,પિયુષભાઈ ગટા,આત્મારામભાઈ ઓઢાવાળા,ડો.જગદીશભાઈ કે.ઠકકર,દિનેશભાઈ ચોકસી,સુભાષભાઈ ઠકકર,અનીલભાઈ ઠકકર,કનુભાઈ તૃપ્તિવાળા,તારાચંદભાઈ મજેઠીયા,કમલેશભાઈ રાચ્છ,મહેશભાઈ રાયચંદભાઈ ઠકકર,દીલીપભાઈ રતાણી,નવીનભાઈપ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,ગુણવંતભાઈ પંચાલ સહિત સૌએ સાથે મળી હરેશભાઈ મઘારામભાઈ ઠકકર પરિવારનું જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી સન્માન કર્યું હતું.રૂપિયા 77000 સતોતેર હજારની નવી ગૌસેવા એકત્ર થઇ હતી.પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ રંગેચંગે ઉજવાય તે માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.


