
અયોધ્યા થી પરત ફરતા સંસ્કારધામ ના પૂ સદગુરુ પ્રેમસ્વામી નું ધામધૂમથી સ્વાગત કરાયું
અયોધ્યા રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈ ગયેલા મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ના પ પૂ સદ્દગુરુ મહંત શ્રી પ્રેમપ્રકાશદાશજી પરત આવતા તેનું સરદારબાગ થી રથો ના કાફલા સાથે મંદિર ના સંતો મહંતો ટ્રસ્ટીઓ સહિત વિશાળ સંખ્યા માં હરિભક્તો જોડાય ને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સંસ્કારધામ ખાતે સ્વાગત અને સન્માન નો કાર્યક્રમ યોજાયો હતોજેમાં પૂ શાસ્ત્રીસ્વામી,દેવસ્વામી,મદનસ્વામી, દિવ્યપ્રકાશસ્વામી,ખોખરા હનુમાનધામ થી ગુરુકુલ ના આચાર્ય દિપકભાઇ સાથે ઋષીકુમારો મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી ના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી એ પણ પૂ સ્વામી નું સન્માન કર્યું હતું પૂ સ્વામી એ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને સુરેશભાઈ ગોસ્વામી નું સન્માન કર્યું હતું



