
હોસ્પિટલો માં ટેસ્ટ કીટ નથી અને ભાજપ ના કાર્યાલયે હોય છે .
હોસ્પિટલો માં રેમડીસીવર ઈન્જેકશન નથી ને ભાજપ ના પાટીલ ભાઉ પાસે છે.
ડોક્ટરો થાકી ગયા છે. તંત્ર માનવતા ભુલ્યું છે.
સ્મશાન માં ભ્રષ્ટઆચાર થવા લાગ્યો છે. દવા અને ઇન્જેકસનો ના કાળા બજાર થાય છે. કોઈ હોસ્પિટલ માં જગ્યા નથી લોકો હેરાન પરેશાન છે.
આમ છતાં સરકાર જાણે કે સંવેદન હીન થયી ગયી હોય એવું લાગી રહ્યું છે.
લોકો નો શુ વાંક કે તમો ને સતાં આપી ને સરકાર માં બેસાડીયા
ચારે બાજુ અવ્યવસ્થા અને આરાજકતા વ્યાપેલા છે. તેમ છતાં તમારા કોઈ નું જાણે કે પેટ નું પાણી પણ હલતું જણાતું નથી
સાહેબ આવા નિષ્ઠુર ના બનો તેવું લોકો કહી રહ્યા છે. લોકો રડે છે . કાલાવાલા કરે છે. પરંતુ તેઓને સારવાર મળતી નથી
આવું ક્યાં સુધી ચાલશે જો આપના રુદયા માં રામ વસતો હોય તો જલ્દી આની વ્યવસ્થા કરો લોકો ને મારતા બચાવો અરે સમસાન માં તો ભ્રષ્ટાચાર બંધ કરવો છું સરકાર સાવજ નિષ્ઠુર થયી ગયી છે. તેવું લોકો બોલી રહ્યા છે. જાગો સાહેબ જાગો
ખુબજ વ્યથિત હૃદયે આ લખી રહયો છું. કોઈ શરત ચૂક કે મર્યાદા લોપ કે અજુગતું લખાયુ ગયું હોય તો માફી માંગુ છું .પણ જાગો હવે તો જાગો પ્રચાર બંધ કરી ને લોકો ની સેવા ના કર્યો કરો તેવી વિન્નતી
કાંતિલાલ ડી. બાવરવા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
