
તારાણા:તા ૧ ( *લલિત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકાના તારાણા મુકામે સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ મહાજ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં બોડી સંખ્યામાં ભક્તજનો કથાનું રસપાન કરી રહ્યા છે જેમાં વ્યાસપીઠ ઉપર સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા કથાકાર શ્રી દિનેશ બાપુ કેરાળી વાળા સંગીતમય શૈલીમાં તેમની સહજ સરળ ઓજસ્વી વાણી દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે દિવ્ય કથા દરમિયાન આવતા પ્રસંગો જેવા કે કૃષ્ણ જન્મ કપિલ ભગવાન અવતાર ગોવર્ધન પૂજા નરસિંહ અવતાર રૂક્ષ્મણી વિવાહ રામ જન્મ જેવા પ્રસંગો ખૂબ ધામધૂમથી વાજતે ગાજતે મનાવવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ભાવિકજનો લાભ લઈ રહ્યા છે દરેક પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવેલ હતા ઉપરોક્ત પ્રસંગે તારાણા સમસ્ત રાજપુત સમાજ તેમજ મહિલા મંડળ તન મન ધન થી આ ધાર્મિક કાર્ય કરી રહ્યા છે બહોળી સંખ્યામાં ભક્તજનો ભોજન પ્રસાદનો પણ લાભ લઇ રહ્યા છે



