મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી નિર્મિત એ રાસ ગરબા નું આયોજન
મોરબી:તા ૨૧ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલ સમગ્ર મોરબી પંથક મા આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર એ ચૈત્રી નવરાત્રી મહોત્સવ અંતર્ગત મંદિર ને રોશનીથી ઝળહળીત કરાયુ છે શ્રદ્ધા.ભકિત.આરાધના ના સમનવય થી ચૈત્રી નવરાત્રી ભકિત ભાવ થી ઉજવાય રહી છે તા 25 /3 /2026 બુધવાર એ રાત્રે 8 /30 વાગે મંદિરના આંગણે. ઓર્કેસ્ટ્રા.મ્યુઝીક પાર્ટી ને સંગાતે.ભવ્ય રાસ ગરબા નું આયોજન કરાયુ છે આ કાર્યક્રમ નો લાભ લેવા દરેક બહેનો દિકરીઓ ને શ્રી ધક્કાવાળી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

