
ઘોલ ના વ્યસ્ત હાઈવે પર ઓવરબ્રિજ ની માંગણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ને રજુઆત _!
જોડિયા :- વિકસિત ઘોલ શહેર થી પ્રસાર થતાં રાજકોટ- જામનગર હાઈવે પર વઘતી જતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માત ની ભયજનક સ્થિતિ ને ઘ્યાન માં રાખી ને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રજુઆત કરીને હાઈવે પર ઓવરબ્રિજ ની માંગણી કરી છે રજુઆત માં ઘોલ ના ત્રિકોણ થી ખારવા ચોકડી સુધી નો માર્ગ વાહનો માટે ઘમઘતો અને મહત્વ વિસ્તાર બની ચુક્યો છે,આ મહત્વ વિસ્તાર જે હાઈવે માર્ગ ની આજી બાજુ વિવિધ રહેણાંક સોસાયટી, માર્કેટ યાર્ડ, દુકાનો, અને ઘોલ એસ ટી ડિપો, શૈક્ષણિક સંસ્થાઓ, વગેરે આવેલ છે.ઉપરોકત હાઈવે પર દિવસ દરમ્યાન ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતી હોય છે શાળા ના વિદ્યાથીઓ,રાહગિરો અને વાહનો થી અકસ્માત થવાનો ભય રહે છે, તે માટે વર્તમાન સમયમાં એક માત્ર વિકલ્પ સ્વરુપે હાઈવે અત્યંત જરૂરી છે,_! અહેવાલ – લલીત નિમાવત.૧૧/૮/૨૬.
