*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*
***
યાત્રાળુઓને ઘરે બેઠા દુઆ કરવા માટે ગાદીપતિની અપીલ
***
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડિયાદના હઝરત શહીદ પીર મહેમુદશાહ બુખારી દાદા વકફની અખબારી યાદી અનુસાર 7 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી,2022 સુધી આયોજિત કરવામાં આવેલો ભડીયાદ પીર ઉર્સ (મેળો) અને મેદની (પગપાળા સંધ) કોવીડ -19ની પરિસ્થિતિને અનુલક્ષીને મુલતવી રાખવામાં આવ્યો છે. આ સંદર્ભે ભડીયાદ પીરના ગાદીપતિ બાવામીયા બાપુ અને ઉર્સ (મેળો) અને મેદની (પગપાળા સંધ) કમિટીએ યાત્રાળુઓને ઘરે બેઠા દુઆ-પ્રાર્થના કરવા વિનંતી કરી છે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.
