
ડીસા માર્કેટયાર્ડમાં શરૂ થયેલ નવીન પેઢી જય સોમનાથ ટ્રેડર્સના ઉદ્ઘાટનમાં અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
ડીસા માર્કેટયાર્ડમાં જય સોમનાથ ટ્રેડર્સ જનરલ મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ પેઢી શરૂ થતાં ઉદ્ધાટનમાં અનેક મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
નવીન પેઢી તરફથી મધુભાઈ લાલજીભાઈ આચાર્ય, અંકિતભાઈ,પરાસરભાઈ, દેવેન્દ્રસિંહજી વાઘેલા, સિધ્ધરાજસિંહજી વાઘેલાએ સૌને મીઠો આવકાર આપ્યો હતો.આ દિવ્ય અવસરે ગુજરાત સરકારના મંત્રી પ્રવિણભાઈ માળી, બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ કીર્તિસિહજી વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ,ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી કનુભાઈ વ્યાસ, ડીસા શહેર ભાજપ મહામંત્રી નરસિંહભાઈ વાઢેર,થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ આચાર્ય, જિલ્લા ગૌરક્ષા સંયોજક ભગવાનભાઈ બંધુ,ડો. ચિંતનભાઈ આચાર્ય, ભરતભાઈ ગોકલાણી સહિત અનેક અગ્રણીઓ, સ્નેહીજનો તેમજ વેપારીઓએ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.જલારામ મંદિર ડીસા વતી જલારામ દર્શન ગ્રંથ દ્રારા પેઢીના સંચાલકોનું ભગવાનભાઈ બંધુ સહિત સૌ મહાનુભાવોએ સન્માન કરી આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
