
ગાંધીનગર ખાતેમુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દેશભરના વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓના પરિવારજનો સાથે SOU ખાતેના મ્યુઝિયમ અંગે પરામર્શ બેઠક યોજાઇ : મંત્રી સર્વેશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયદ્રથસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજાની ઉપસ્થિતિ
…………
:- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી :-
• અખંડ ભારતની રચનામાં પોતાનું રજવાડુ સમર્પિત કરનાર ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ કેવડિયા ખાતે તૈયાર થશે
• સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી ત્યારે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા જ નહીં પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પણ સાકાર કરી છે
• કેવડિયા ખાતે એકતા નર્સરી, એકતા ભવન વગેરે ભારતની વિશેષતાઓ રજુ કરાઇ છે
• અલગ અલગ ભાષાઓ, બોલી, પહેરવેશ, દરેક પ્રાંતની સંસ્કૃતિ અને કલાને સાથે એકતાનો ભાવ રજુ કરતો એકતા મોલ
• સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતભરના પ્રવાસીઓ એકતાનો અનુભવ કરે તે જરૂરી
• સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આખી વ્યવસ્થામાં એકતાને કેન્દ્ર સ્થાને પ્રયાસ કરાયો છે
• વડીલોએ પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા ૫૬૨ રજવાડાઓને દેશની એકતા માટે સરદાર વલ્લભભાઇ પટેલની સમર્પિત કર્યા તે ખૂબ જ સરાહનીય કાર્ય
• ૫૬૨ રજવાડાઓનો ઇતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા આવનાર પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે
• અમારી સરકાર ભારતનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ આવે તે દિશામાં આગળ વધી રહી છે
• અમારી સરકાર વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને આગળ વધારી રહી છે
• કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના પ્રવાસીઓને રહેવા માટે ૫,૦૦૦ રૂમનું ભવ્ય સંકુલ નિર્માણ થશે
• વર્ષે એક કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવે તેવું લક્ષ્યાંક : હાલમાં વર્ષે ૪૦ લાખ પ્રવાસીઓ SOUની મુલાકાતે
• રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવા સરકારના પ્રતિનિધિ અને રાજવીશ્રીઓના પરિવારજનોની કમિટી બનાવીને તેમના સૂચનો લેવાશે
• ભૂતકાળમાં રાજવીઓએ આપેલા સુશાસનમાંથી અમે પ્રેરણા લઈને પ્રજા કલ્યાણના કાર્યો કરીએ છીએ
• આ મ્યુઝિયમ ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં કામ કરાશે
• મુખ્યમંત્રીશ્રીએ રાજવીશ્રીઓના પરિવારજનોનો દેશ પ્રત્યેના સમર્પણ ભાવને બિરદાવીને મ્યુઝિયમ બનાવવામાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.
શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ૫૬૨ રજવાડાઓનું આ ભવ્ય મ્યુઝિયમ બનાવવાની પ્રેરણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે જ્યારે તેને ઝડપી પૂર્ણ કરવાના પ્રયાસો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાથ ધર્યા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ સમાજવતી આભાર માન્યો હતો.
આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજવીશ્રીઓના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજવાડી પાઘડી અને સ્મૃતિપત્ર આપીને તેમના સંકલ્પને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત સૌ રાજવીશ્રીઓના પરિવારજનોનો પરિચય કરાવ્યો હતો.
આ બેઠકમાં લીંબડીના ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા સહિત વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
…………
