રાજકોટ : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ ખાતે આર.ટી.ઓ પીબી લાઠીયાના અધ્યક્ષસ્થાને ૩૨માં નેશનલ રોડ સેફ્ટી-2021 નો ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. અતિથી વિશેષ તરીકે ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલ, એ.સી.પી ચાવડા, જીલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલા, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એન્જિનિયર વિજયભાઈ પરમાર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એમ.બી બડમલીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રાફિક અવેરનેસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમ, વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
