
*ગીરીશભાઈ ઘેલાણી, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, બકુલભાઈ રાચ્છ, જનક રાજા, સુનિલભાઈ પુજારા, નાનજી સોલંકી સહીત ના અગ્રણીઓ દ્વારા ધાર્મિક વિધી કરી બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા*
કોઈપણ પ્રકાર ના નાત-જાત ના ભેદભાવ વિના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર ઉપરાંત તેમના અસ્થિઓના વિસર્જન નુ કાર્ય હરહંમેશ કરવા મા આવે છે ત્યારે તાજેતર મા મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર લઈ રહેલા આધેડ નુ મૃત્યુ થતા હોસ્પીટલ તંત્ર એ વાલી-વારસ ની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેઓ બિનવારસી હોય તેમનો મૃતદેહ શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને સોંપવા મા આવ્યો હતો. મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, બકુલભાઈ રાચ્છ, પત્રકાર જનક રાજા, સુનિલભાઈ પુજારા, નાનજી સોલંકી,ફીરોઝ ભાઈ સહીત નાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધી કરી તેમના અંતિમ સંસ્કાર કરી માનવતા ની મહેર પ્રસરાવી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
