

મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટાભાગે ચૂંટણી વખતે વિકાસના વાવાઝોડા ફૂંકાયા છે પરંતુ વાસ્તવિકતામાં મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોના માર્ગ ભાંગીને ભુક્કો થઈ ગયા હોય તેવી હાલતમાં રહ્યા છે જેના પરિણામે વાહનચાલકો માટે અકસ્માતનો સતત વધી રહ્યો છે એવા સમયે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને પસાર થવું એ પણ સિર દર્દ સમાન રહ્યું છે રાત દિવસ વાહનોની અવરજવર વાળા ટંકારા થી વાંકાનેર તરફનો માર્ગ સતત ગાબડા ધારી રહ્યો છે જેના કારણે અન્ય ગ્રામ્ય વિસ્તારો જેવો કે કોઠારીયા અમરાપર ટોળ સહિતના વિગેરે ગ્રામ્ય વિસ્તારના લોકોને ટંકારા કે વાંકાનેર આવા જવા માટે મતદાર પ્રજા માટે પ્રજાહિત વિકાસ કાર્યની ચાડી ખાતો તસવીરમાં નજરે પડે છે અત્રે નોંધનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ખેતર વાડી અંતર્ગત માલ સામાનની ખરીદી માટે ખેડૂતોને રાત વરાત પસાર થવું પડતું હોય છે ધોળા દિવસે પણ તે માર્ગ પર નીકળવું અકસ્માત જનક જોખમી રહ્યું છે જેથી લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધેલાભાઈ ફાંગલીયા એ રજુઆત કરી છે

રીપોર્ટ:ઔતમ ધામેચા વાંકાનેર
